મૃત્યુ વિશે વાસ્તવિક બનવું

જીવન ટૂંકી છે અને કોઈપણ સમયે સમાપ્ત થઈ શકે છે તે હકીકતને જયારે સ્વીકારીએ છે, ત્યારે આપણે કંઈક અર્થપૂર્ણ કરવાની આપણી પાસે રહેલી કિંમતી તકોને વેડફવાનું બંધ કરીએ છીએ, જ્યારે આપણી પાસે હજી પણ તક છે.
Meditation being realistic about death 1

સમજૂતી

મૃત્યુ એ એક વિષય છે જેના વિશે ઘણા લોકો વિચારવાનું પસંદ કરતા નથી. પરંતુ મૃત્યુ એ જીવનની હકીકત છે અને દરેકને તેનો સામનો કરવો પડશે. જો આપણે આપણી જાતને અનિવાર્ય છે તે માટે તૈયાર ન કર્યું હોય, તો આપણે ખૂબ જ ભય અને ખેદ સાથે મૃત્યુ પામી શકીએ છીએ. તેથી, મૃત્યુ ધ્યાન અત્યંત મદદરૂપ અને મહત્વપૂર્ણ છે.

ત્યાં ઘણા ધ્યાન છે જે આપણે મૃત્યુ વિશે કરી શકીએ છીએ, જેમ કે કલ્પના કરવી કે આપણને જીવલેણ અસાધ્ય રોગ છે તેવું કહેવામાં આવે તો આપણે કેવી રીતે વ્યવહાર કરીશું. નીચે આપેલ ધ્યાન એ પ્રમાણભૂત છે જે આપણી જાતને આપણા વલણ અને વર્તનને સુધારવા માટે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવે છે જ્યારે આપણી પાસે હજુ પણ તેમ કરવાની તકો છે. આ ધ્યાનમાં, શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને શાંત થયા પછી, આપણે નીચેના મુદ્દાઓ વિશે વિચારીએ છીએ:

ધ્યાન

મૃત્યુ અનિવાર્ય છે, કારણ કે:

  • તે નિશ્ચિત છે કે મૃત્યુ આવશે, અને કોઈ પણ સંજોગો તેને આપણી સાથે બનતા અટકાવી શકશે નહીં - સમગ્ર ઇતિહાસમાં કોઈ પણ એવો વ્યક્તિ નથી જે જન્મ્યા પછી મૃત્યુથી બચી શક્યો હોય, તો આપણને શું એટલું વિશેષ બનાવે છે કે આપણે મરીશું નહીં?
  • આપણું આયુષ્ય લંબાવી શકાતું નથી જ્યારે આપણા માટે મૃત્યુનો સમય હોય છે અને આપણું બાકીનું આયુષ્ય અવિરતપણે ઘટતું જાય છે - આપણા જીવનની દરેક ક્ષણે આપણે વૃદ્ધ થતા જઈએ છીએ અને મૃત્યુની નજીક જઈએ છીએ, યુવાન અને મૃત્યુથી વધુ દૂર નહીં. તે એક ગતિમાન કન્વેયર બેલ્ટ પર હોવા જેવું છે, વગર રોકાયા, આપણા અનિવાર્ય મૃત્યુ તરફ.
  • આપણે જીવિત રહીને પણ એવા પગલાં લેવાનો સમય ન લીધો હોય જે આપણને મનની શાંતિ સાથે મૃત્યુ પામવા દે અને કોઈ અફસોસ ન થાય તો પણ આપણે મરી જઈશું – મૃત્યુ આવી શકે છે, જેમ કે અચાનક હાર્ટ એટેક અથવા કાર અકસ્માતથી, અચાનક જ્યારે આપણે ઓછામાં ઓછી અપેક્ષા રાખીએ છીએ.

આપણે ક્યારે મરીશું તે વિશે કોઈ નિશ્ચિતતા નથી, કારણ કે:

  • સામાન્ય રીતે, આપણા આયુષ્યની કોઈ નિશ્ચિતતા નથી - મરવા માટે આપણે વૃદ્ધ હોવાની જરૂર નથી.
  • મૃત્યુની શક્યતાઓ વધુ છે અને જીવંત રહેવાની શક્યતા ઓછી છે - ગ્લોબલ વોર્મિંગ સાથે, કુદરતી આફતો અને રોગચાળાના રોગો વધુ અને વધુ છે; સતત ઘટતા કુદરતી સંસાધનો અને આર્થિક અસમાનતા સાથે, વધુને વધુ હિંસા થાય છે; નિરાશાની વધતી જતી લાગણીઓ સાથે, ડ્રગ્સ નો વધુ પડતો ઉપયોગ થાય છે, વગેરે.
  • આપણું શરીર અત્યંત નાજુક છે - સહેજ માંદગી અથવા અકસ્માત આપણા મૃત્યુનું કારણ બની શકે છે. 

આપણા વલણ અને વર્તનને સુધારવા માટે કામ કરવાના નિવારક પગલાં લેવા સિવાય, બીજું કંઈપણ આપણને માનસિક શાંતિ અને કોઈ અફસોસ વગર મૃત્યુ પામવામાં મદદ કરી શકે નહીં. જો આપણે અત્યારે આપણા મૃત્યુનો સામનો કરવો હોત:

  • આપણી સંપત્તિ કોઈ મદદરૂપ થશે નહીં - આપણા પૈસા ફક્ત કમ્પ્યુટર સ્ક્રીન પરની એક સંખ્યા હશે
  • મિત્રો અને સંબંધીઓ કોઈ મદદ કરશે નહીં - આપણે તેમને પાછળ છોડી દેવા પડશે અને જો તેઓ અમારી આસપાસ રડશે, તો તેઓ આપણને ખૂબ જ ઉદાસ કરશે.
  • આપણું શરીર પણ કોઈ મદદ કરશે નહીં - તે વધારાના કિલો અથવા પાઉન્ડ ગુમાવ્યા પછી આપણે કેટલો આરામ મેળવી લીધો? 

તેથી, આપણે નક્કી કરીએ છીએ કે જીવનમાં એકમાત્ર વસ્તુ જે અર્થપૂર્ણ બને છે તે આપણા ભય અને પસ્તાવો સાથે નું મૃત્યુને રોકવા માટેના પગલાં લેવા.

સારાંશ

મૃત્યુની અનિવાર્યતા વિશે જાગૃતિ મેળવવી એ આપણને હતાશ અથવા ભયથી ભરેલા બનાવવા માટે નથી. જ્યારે આપણને ખ્યાલ આવે છે કે આ જીવનમાં આપણે જે સમય બાકી રાખ્યો છે તે મર્યાદિત છે અને તે ક્યારે સમાપ્ત થશે તેની કોઈ ખાતરી આપી શકતું નથી, ત્યારે આપણી પાસે જે તકો અને સમય છે તેનો સંપૂર્ણ લાભ લેવા આપણે પ્રેરાઈએ છીએ. મૃત્યુ પ્રત્યે સચેત રહેવું આપણને આળસ અને વિલંબને દૂર કરવામાં મદદ કરે છે જે ભવિષ્યમાં વસ્તુઓ વધુ ખરાબ ન થાય તે માટે હકારાત્મક પગલાં લેવાથી અટકાવે છે.

Top