સાચો દૃષ્ટિકોણ અને ઇરાદો

ભેદભાવ જાગૃતિ એટલે શું સાચું અને ખોટું, શું મદદરૂપ અને શું હાનિકારક વચ્ચે ભેદભાવ કરવો. આ માટે, આપણી પાસે આઠ ગણા માર્ગમાંથી છેલ્લા બે છે: સાચો દૃષ્ટિકોણ અને સાચો ઇરાદો (સાચો પ્રેરક વિચાર).

સાચા અને ખોટા, અથવા હાનિકારક અને મદદરૂપ વચ્ચે યોગ્ય રીતે ભેદભાવ કરવા પર આધારિત, આપણે જે સાચું માનીએ છીએ તેની સાથે સાચો દૃષ્ટિકોણનો સંબંધ છે. સાચી પ્રેરણા એ મનની રચનાત્મક સ્થિતિ છે જેની તરફ આ દોરી જાય છે.

દૃષ્ટિકોણ

આપણી પાસે સાચો કે ખોટો ભેદભાવ જાગૃતિ હોઈ શકે છે:

  • આપણે સાચી રીતે ભેદભાવ કરી શકીએ છીએ અને તેને સાચું માનીએ છીએ
  • આપણે ખોટી રીતે ભેદભાવ કરી શકીએ છીએ અને તેને સાચું માનીએ છીએ.

ખોટો દૃષ્ટિકોણ એ છે કે જ્યારે આપણે ખોટો ભેદભાવ કરીએ પણ તેને સાચો માનીએ, અને સાચો દૃષ્ટિકોણ એ છે કે જયારે આપણે સાચો ભેદભાવ કરીએ અને તેને સાચું માનીએ.

ખોટો દૃષ્ટિકોણ

ખોટા દૃષ્ટિકોણ દાખલા તરીકે ભારપૂર્વક જણાવવું અને માનવું છે કે આપણા વર્તનોમાં જે કેટલાક વિનાશક અને કેટલાક રચનાત્મક છે એનો કોઈ નૈતિક પરિમાણ નથી, અને એવું માનવું છે કે આપણે જે અનુભવીએ છીએ તેના સંદર્ભમાં તેઓ પરિણામ લાવતા નથી. આ "ગમે તે" ની માનસિકતા દ્વારા વર્ગીકૃત થયેલ છે જે આજે ઘણા લોકો ધરાવે છે. તેનાથી કોઈ ફરક પડતો નથી; કોઈ વસ્તુથી ફરક પડતો નથી. ગમે તે; જો હું આ કરું કે ન કરું, તો તેનાથી કોઈ ફરક પડતો નથી. આ ખોટું છે. તમે ધૂમ્રપાન કરો છો કે નહીં તે મહત્વનું છે. જો તમે ધૂમ્રપાન કરો છો, તો તે તમારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નકારાત્મક પરિણામો કરશે.

બીજો ખોટો દૃષ્ટિકોણ એ માનવું છે કે આપણે આપણી જાતને સુધારી શકીએ અને આપણી ખામીઓને દૂર કરી શકીએ એવી કોઈ રીત નથી, તેથી પ્રયાસ કરવાનો કોઈ અર્થ નથી. આ ખોટું છે, કારણ કે વસ્તુઓ સ્થિર નથી અથવા નક્કર નથી. કેટલાક માને છે કે અન્ય લોકો માટે દયાળુ બનવા અથવા મદદ કરવાનો પ્રયાસ કરવાનો કોઈ અર્થ નથી, અને આપણે ફક્ત દરેકનો લાભ લેવાનો પ્રયાસ કરવો જોઈએ અને શક્ય તેટલો નફો મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે તે સુખ લાવશે. તે ખોટું છે, કારણ કે તે સુખ તરફ દોરી જતું નથી. તે તકરાર, ઈર્ષ્યા અને અન્ય લોકો વિશે આપણી સામગ્રી ચોરી કરશે એની ચિંતાઓ લાવે છે.

ખોટા ભેદભાવના ઘણા વિવિધ પ્રકારો છે. તે વેદના અને તેના કારણો સાથે વ્યવહાર કરી શકે છે, ઉદાહરણ તરીકે. તમારા બાળકના શાળામાં ખરાબ કામ કરવાના કિસ્સાને ધ્યાનમાં લો. ખોટો ભેદભાવ એ વિચારવું હશે કે, “આ બધું મારા કારણે છે. માતાપિતા તરીકે મારી ભૂલ છે.” કાર્યકારણ વિશે આ ખોટો ભેદભાવ છે. વસ્તુઓ માત્ર એક કારણને લીધે ઊભી થતી નથી અથવા થતી નથી. વસ્તુઓ માત્ર એક જ નહીં, ઘણા બધા કારણો અને પરિસ્થિતિઓના સંયોજનને કારણે થાય છે. આપણે યોગદાન આપ્યું હોઈ શકે છે, પરંતુ આપણે સમસ્યાનું એકમાત્ર કારણ નથી. અને કેટલીકવાર આપણે કારણ પણ હોતા નથી - તે તદ્દન ભૂલભરેલું છે. હું તદ્દન વિચલિત વ્યક્તિના ઉદાહરણ વિશે વિચારી રહ્યો છું: તે ફૂટબોલની રમતમાં ગયો અને તેની ટીમ હારી ગઈ. તે પછી તે માનતો હતો કે તેની ટીમની હારનું એકમાત્ર કારણ તે છે કારણ કે તેણે રમતમાં હાજરી આપી હતી, તેથી તે રમત શાપિત થયી ગયી: "તે મારી ભૂલ છે કે ટીમ હારી." આ અર્થહીન છે. તે કાર્યકારણ વિશે ખોટો ભેદભાવ છે.

સાચો દૃષ્ટિકોણ

સાચો ભેદભાવ જાગૃતિ નિર્ણાયક છે, અને આ માટે આપણે વાસ્તવિકતા, કાર્યકારણની વાસ્તવિકતા વગેરે વિશે શીખવાની જરૂર છે. હવામાનની જેમ, જે ઘણા કારણો અને પરિસ્થિતિઓથી પ્રભાવિત છે, આપણે પણ પોતાને ભગવાન જેવા હોવાનો ખોટો ખ્યાલ ન રાખવો જોઈએ, જ્યાં આપણી ફક્ત એક જ વસ્તુ કરવા થી શાળામાં ખરાબ કરતું આપણું બાળક સારું કરતું થઈ જશે. વસ્તુઓ આ રીતે કામ કરતી નથી.

આપણા સાચા ભેદભાવ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ભેદભાવ જાગૃતિ માટે સામાન્ય સમજ અને બુદ્ધિ અને એકાગ્રતાની જરૂર છે. આ માટે, આપણને શિસ્તની જરૂર છે. આ રીતે તે બધું એક સાથે બંધબેસે છે.

ઇરાદો (પ્રેરિત વિચાર)

એકવાર આપણે શું મદદરૂપ છે અને શું હાનિકારક છે, વાસ્તવિકતા શું છે અને શું નથી તે વચ્ચે ભેદભાવ કરી લીધા પછી, આપણો ઉદ્દેશ્ય અથવા પ્રેરક વિચાર એ વાત સાથે જોડાયેલો છે કે આપણો ભેદભાવ આપણે કઈ રીતે બોલીએ છીએ અથવા કાર્ય કરીએ છીએ અથવા વસ્તુઓ પ્રત્યેના આપણા વલણને કેવી રીતે અસર કરે છે અથવા આકાર આપે છે. જો આપણે ખોટી રીતે ભેદભાવ કરીએ, તો એક ખોટો પ્રેરક વિચાર અનુસરશે અને, જ્યારે સાચી રીતે કરીએ, તો સાચો પ્રેરક વિચાર આવશે.

ખોટો ઈરાદો

ત્રણ મુખ્ય ક્ષેત્રો છે જે હેતુ અથવા પ્રેરક વિચારને અસર કરે છે:

કામુક ઈચ્છા

એક ખોટો પ્રેરક વિચાર એ કામુક ઈચ્છા પર આધારિત હશે - એક ઝંખનાની ઈચ્છા અને ઈન્દ્રિય પદાર્થો પ્રત્યેની આસક્તિ, પછી ભલે તે સુંદર વસ્તુઓ હોય, સંગીત હોય, સારો ખોરાક હોય, સરસ વસ્ત્રો હોય વગેરે. આપણી ઈચ્છાઓને આગળ ધપાવવાનો આપણો પ્રેરક વિચાર ખોટો ભેદભાવ કરવા પર આધારિત હશે કે તે સૌથી મહત્વની વસ્તુ છે. જો આપણી પાસે સાચો ભેદભાવ હશે, તો આપણી પાસે સમાનતા હશે, જે સંતુલિત મન છે જે ઇન્દ્રિય પદાર્થોના જોડાણથી મુક્ત છે.

એક ઉદાહરણ એ છે કે જ્યાં તમે ખોટી રીતે ભેદભાવ કરો છો કે આપણે રાત્રિભોજન ક્યાં કરીએ છીએ અને શું ખાઈએ છીએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણને લાગે છે કે જો આપણે યોગ્ય સ્થાન અને મેનુમાંથી યોગ્ય વાનગી પસંદ કરીશું તો તે ખરેખર આપણને ખુશી આપશે. જો તમે સાચી રીતે ભેદભાવ કરો છો, તો તમે જોશો કે તે એટલું મહત્વનું નથી, અને રાત્રિભોજન માટે શું છે અથવા ટીવી પર શું છે તેના કરતાં જીવનમાં બીજી ઘણી મહત્વપૂર્ણ બાબતો છે. મન વધુ હળવા અને સંતુલિત બને છે.

દ્વેષ

બીજી ખોટી પ્રેરણા અથવા ઈરાદો દ્વેષ છે, કોઈને પીડા પહોંચાડવાની અથવા તેમને નુકસાન પહોંચાડવાની ઇચ્છા. જેમ કે જ્યારે કોઈ ભૂલ કરે છે અને તમે ગુસ્સે થાઓ છો અને વિચારો છો કે તે ખરેખર ખરાબ છે અને તેને સજા કરવાની જરૂર છે; આ ખોટો ભેદભાવ છે.

આપણે ખોટો ભેદભાવ કરીએ છીએ કે લોકો ક્યારેય ભૂલ કરતા નથી, જે વિચિત્ર છે. આપણને એટલો ગુસ્સો આવી શકે છે કે આપણે કોઈને મારવા માંગીએ છીએ, જ્યારે આપણી પાસે સાચો ભેદભાવ હશે તો આપણે પરોપકારનો વિકાસ કરીશું. આ અન્યને મદદ કરવાની અને તેમને સુખ આપવાની ઇચ્છા છે, અને તેમાં શક્તિ અને ક્ષમાનો સમાવેશ થાય છે. જો કોઈ વ્યક્તિ ભૂલ કરે છે, તો તમે સમજો છો કે આ કુદરતી છે અને રોષ રાખશો નહીં.

ક્રૂરતા

ત્રીજો પ્રકારનો ખોટો ઈરાદો એ ક્રૂરતાથી ભરેલું મન છે, જેમાં વિવિધ પાસાઓ છે:

  • ગુંડાગીરી – કરુણાનો ક્રૂર અભાવ જ્યાં આપણે ઈચ્છીએ છીએ કે અન્ય લોકોને વેદના થાય અને નાખુશ રહે. ઉદાહરણ તરીકે, આપણે અન્ય ફૂટબોલ ટીમના અનુયાયીઓને એવું વિચારીને ભેદભાવ કરીએ છીએ કે તેઓ ભયાનક છે અને આપણે તેમની સાથે લડી શકીએ છીએ કારણ કે તેઓ બીજી ટીમને પસંદ કરે છે.
  • સ્વ-દ્વેષ - સ્વ-પ્રેમનો ક્રૂર અભાવ જ્યાં આપણે આપણી પોતાની ખુશીને તોડફોડ કરીએ છીએ કારણ કે આપણે વિચારીએ છીએ કે આપણે ખરાબ વ્યક્તિ છીએ અને ખુશ રહેવાને લાયક નથી. આપણે ઘણીવાર આ અસ્વસ્થ સંબંધોમાં આવવાથી, ખરાબ ટેવો રાખવા, અતિશય આહાર વગેરે કરીને કરીએ છીએ.
  • વિકૃત આનંદ - જ્યાં આપણે અન્ય લોકોની વેદના જોઈ કે સાંભળીએ ત્યારે ક્રૂરતાથી આનંદ કરીએ છીએ. તમને લાગે છે કે કોઈ વ્યક્તિ ખરાબ છે અને તેઓ જે વેદના અનુભવી રહ્યા છે તે લાયક છે, જેમ કે જ્યારે કોઈ રાજકારણી ચૂંટણી હારી જાય જેને આપણે પસંદ નથી કરતા. અહીં, આપણે ખોટી રીતે ભેદભાવ કરીએ છીએ કે કેટલાક લોકો ખરાબ છે અને સજાને પાત્ર છે અને વસ્તુઓ ખરાબ રીતે જવાને લાયક છે જ્યારે અન્ય લોકો, ખાસ કરીને આપણી જાત જોડે, બધું સારું થવું જોઈએ.

સાચો ઈરાદો

સાચા ભેદભાવ પર આધારિત સાચો ઈરાદો એ અહિંસક, અક્રૂર વલણ હશે. તમારી મનની એવી સ્થિતિ છે કે જ્યાં તમે અન્ય લોકો કે જેઓ પીડિત છે તેમને નુકસાન પહોંચાડવા માંગતા નથી, તેમને ચિડાવવા અથવા હેરાન કરવા નથી માંગતા. જ્યારે વસ્તુઓ તેમના માટે ખરાબ થાય છે ત્યારે આપણે ખુશ થતા નથી. અહીં કરુણાની ભાવના પણ છે, જ્યાં આપણે ઈચ્છીએ છીએ કે અન્ય લોકો વેદના અને તેના કારણોથી મુક્ત થાય, કારણ કે આપણે જોઈએ છીએ કે દરેક જણ પીડાય છે, કોઈ પણ વેદના ભોગવવા માંગતું નથી, અને કોઈ પણ વેદનાને લાયક નથી. જો લોકો ભૂલો કરે છે, તો આપણે જોઈએ છીએ કે તે તેમની મૂંઝવણને કારણે છે, એવું નથી કે તેઓ આંતરિક રીતે ખરાબ છે. સાચા ભેદભાવ અને સાચા ઈરાદા સાથે, આપણે સ્વાભાવિક રીતે જ યોગ્ય વાણી અને યોગ્ય ક્રિયા તરફ જઈએ છીએ.

આઠ પરિબળોને એકસાથે બંધબેસવું

માર્ગના આઠ પરિબળો એકસાથે બંધબેસે છે:

  • સાચો દૃષ્ટિકોણ અને ઈરાદો અભ્યાસ માટે યોગ્ય પાયો પૂરો પાડે છે અને આપણને કુદરતી રીતે યોગ્ય વાણી, સાચી ક્રિયા અને યોગ્ય આજીવિકામાં સામેલ કરવા તરફ દોરી જાય છે. આપણે અન્ય લોકો પરના આપણા વર્તનની અસરોના સંદર્ભમાં જે સાચું છે તે ભેદભાવ કરીએ છીએ, અને અન્યને મદદ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ, તેમને નુકસાન નહીં.
  • આના આધારે, આપણે આપણી જાતને સુધારવા, સારા ગુણો વિકસાવવા અને આપણા શરીર અને લાગણીઓ વગેરે વિશેના વિચિત્ર વિચારોથી વિચલિત ન થવાનો પ્રયાસ કરીએ છીએ. શું ફાયદાકારક છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આપણે એકાગ્રતાનો ઉપયોગ કરીએ છીએ, અને પછી આપણો ઇરાદો મજબૂત થાય છે. આ રીતે, બધું એકબીજા સાથે જોડાયેલું છે.

જો કે આપણે ત્રણ તાલીમો અને આઠ ગણા માર્ગને એક ક્રમ તરીકે રજૂ કરી શકીએ છીએ, પરંતુ અંતિમ ઉદ્દેશ્ય એ છે કે તે બધાને એકીકૃત સંપૂર્ણ તરીકે વ્યવહારમાં મૂકવા સક્ષમ બનવું.

સારાંશ

જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારથી લઈને રાત્રે સૂઈએ તે ક્ષણ સુધી, આપણી ઇન્દ્રિયો મનોરંજન માટે તરસેલી હોય છે. આપણી આંખો સુંદર સ્વરૂપો શોધે છે, આપણા કાનને આનંદદાયક અવાજ જોઈએ છે, અને આપણા મોંને સ્વાદિષ્ટ સ્વાદ જોઈએ છે. જ્યારે આનંદદાયક અનુભવો મેળવવામાં ખાસ કંઈ ખોટું નથી, જો આ આપણા જીવનની હદ રહેશે, તો આપણે ક્યારેય સંતુષ્ટ થઈશું નહીં, અને આપણે એકાગ્રતાનો એક ઔંસ પણ વિકાસ કરી શકીશું નહીં.

નૈતિકતા, એકાગ્રતા અને જાગૃતિની ત્રણ તાલીમ આપણને દરેક ક્ષણને શ્રેષ્ઠ રીતે જીવવા દે છે. ફક્ત પોતાના માટે આનંદની શોધ કરવાને બદલે, આઠ ગણો માર્ગ એક નમૂનો પૂરો પાડે છે જે આપણને માત્ર પોતાને જ નહીં, પરંતુ અન્ય લોકોને પણ લાભ પહોંચાડવા દે છે. જ્યારે આપણે તપાસ કરીએ છીએ અને સમજીએ છીએ કે શા માટે સાચો દ્રષ્ટિકોણ સાચો છે અને ખોટો દ્રષ્ટિકોણ શા માટે નથી, અને શા માટે સાચી ક્રિયાઓ મદદરૂપ છે અને ખોટી ક્રિયાઓ હાનિકારક છે (અને તેથી વધુ), અને તે મુજબ વર્તન કરીએ છીએ, આપણું જીવન આપમેળે વધુ સારા માટે સુધરશે. આપણે જેને "સંપૂર્ણ બૌદ્ધ જીવન" કહી શકીએ તેનું નેતૃત્વ કરીશું.

Top