આધ્યાત્મિક શિક્ષક સાથેના સંબંધને અસર કરતા પરિબળો

પ્રારંભિક ટિપ્પણીઓ

બધી બૌદ્ધ પરંપરાઓ માર્ગ પર આધ્યાત્મિક શિક્ષકના મહત્વ પર ભાર મૂકે છે. આધ્યાત્મિક શિક્ષકો ફક્ત આ જ કરતા નથી:

  • માહિતી આપવી
  • પ્રશ્નોના જવાબ આપવા
  • વિદ્યાર્થીની સમજણ તપાસવી
  • વિદ્યાર્થીના બૌદ્ધિક, ભાવનાત્મક અને ધ્યાન વિકાસ તપાસવી.

આધ્યાત્મિક શિક્ષકો આ પણ કરે છે:

  • પ્રતિજ્ઞાઓ અને સશક્તિકરણ આપવી
  • પ્રેરનસ્તોત્ર તરીકે કામ કરવું
  • તેમના વ્યક્તિગત ઉદાહરણો દ્વારા પ્રેરણા આપવી
  • બુદ્ધના સમયની પરંપરાની કડી તરીકે કામ કરવું.

શિક્ષકો અને વિદ્યાર્થીઓના ઘણા જુદા જુદા સ્તરો છે, અને તેથી માર્ગ પર સંબંધ બાંધવાની વિવિધ રીતો છે.

સાંસ્કૃતિક સંદર્ભ

આધ્યાત્મિક શિક્ષક પાસે અભ્યાસ કરવાની આધુનિક પશ્ચિમી પરિસ્થિતિ પરંપરાગત એશિયન કરતાં સંપૂર્ણપણે અલગ છે.

પરંપરાગત એશિયામાં, ધર્મના મોટાભાગના વિદ્યાર્થીઓ:

  • સાધુઓ અથવા સાધ્વીઓ છે, જે આધ્યાત્મિક માર્ગ પ્રત્યે પૂર્ણ-સમય પ્રતિબદ્ધતા ધરાવે છે
  • ધર્મનો અભ્યાસ અને આચરણ સિવાય કોઈ મોટી પ્રવૃત્તિ નથી
  • અશિક્ષિત બાળકો તરીકે બૌદ્ધ ધર્મનો અભ્યાસ શરૂ કરો
  • પરિણામે, પુખ્ત વયના લોકો તરીકે, ગણિત, સામાજિક અભ્યાસ અને વિજ્ઞાન જેવા "સામાન્ય" વિષયોમાં માત્ર ન્યૂનતમ શિક્ષણ હોય છે
  • સ્ત્રીઓની ભૂમિકા અને સત્તા માળખાના દૃષ્ટિકોણ અંગે પરંપરાગત એશિયન સમાજોના મૂલ્યોને સ્વીકારે છે - સ્ત્રીઓ નીચી ગુણવત્તાવાળી છે અને વંશવેલો ધોરણ છે.

આધુનિક પશ્ચિમમાં, મોટાભાગના વિદ્યાર્થીઓ:

  • સામાન્ય લોકો છે, વ્યાવસાયિક અને અંગત જીવનમાં વ્યસ્ત છે
  • ધર્મ માટે બહુ ઓછો સમય ફાળવે છે
  • શિક્ષિત પુખ્ત વયના લોકો તરીકે ધર્મનો અભ્યાસ શરૂ કરે છે
  • જાતિ સમાનતા અને લોકશાહી સામાજિક માળખાની માંગ કરે છે.

નાણાકીય બાજુએ, પરંપરાગત એશિયા આધ્યાત્મિક શિક્ષકોને સામાજિક સહાય પૂરી પાડે છે. જેઓ તેમના વિદ્યાર્થીઓ નથી તેઓ પણ તેમને ભેટો આપે છે. આધુનિક પશ્ચિમમાં, આધ્યાત્મિક શિક્ષકોએ પોતાને ટેકો આપવાની જરૂર પડે છે. ઘણા લોકો નાણાકીય, સંગઠનાત્મક અને વહીવટી ચિંતાઓ સાથે ધર્મ કેન્દ્રો ચલાવે છે.

આ બધા પરિબળો વિદ્યાર્થી-શિક્ષક સંબંધને અસર કરે છે. ઘણા આધ્યાત્મિક સાધકોને ફાયદો થયો છે, પરંતુ ઘણી ગેરસમજ, ઘણી ભૂલો અને આધ્યાત્મિક ઘા પણ થયા છે.

જોખમો

તિબેટી પરંપરાના કિસ્સામાં, "ગુરુ-ભક્તિ" પરના ગ્રંથો દ્વારા જોખમો વધી જાય છે. આવા ગ્રંથોના શ્રોતાઓ પ્રતિજ્ઞાઓ ધરાવતા પ્રતિબદ્ધ સાધુઓ અને સાધ્વીઓ હતા, જેમને તાંત્રિક સશક્તિકરણની તૈયારીમાં સમીક્ષાની જરૂર હતી. આ સૂચનાઓ ક્યારેય ધર્મ કેન્દ્રમાં નવા નિશાળીયા માટે નહોતા, જેઓ બૌદ્ધ ધર્મ વિશે કંઈ જાણતા ન હતા.

આપણે બે ચરમસીમાઓથી દૂર રહેવાની જરૂર છે:

  1. આધ્યાત્મિક શિક્ષકોનું દેવીકરણ, જે ભોળપણ અને દુર્વ્યવહારના દ્વાર ખોલે છે
  2. તેમનું રાક્ષસીકરણ, જે પેરાનોઇયાના દ્વાર ખોલે છે અને સાચી પ્રેરણા અને ઊંડા લાભ મેળવવાના દ્વાર બંધ કરે છે.

એક બિનપરંપરાગત વિશ્લેષણાત્મક યોજના

મેં આ મુદ્દાનું વિશ્લેષણ કર્યું છે અને આધ્યાત્મિક શિક્ષક સાથે સંબંધ: સ્વસ્થ સંબંધનું નિર્માણ (ઇથાકા: સ્નો લાયન, ૨૦૦૦) માં સંબંધને સ્વસ્થ બનાવવાની રીતો સૂચવી છે. અહીં, હું આ મુદ્દાનું વિશ્લેષણ કરવા માટે એક વધારાની બિન-પરંપરાગત યોજના રજૂ કરવા માંગુ છું, જે હંગેરિયન મનોચિકિત્સક ડૉ. ઇવાન બોઝોર્મેની-નાગી દ્વારા સૂચવવામાં આવી છે અને તેના કાર્યમાંથી વિસ્તૃત કરવામાં આવી છે, જે કૌટુંબિક ઉપચાર અને સંદર્ભ ઉપચારના સ્થાપકોમાંના એક છે.

સંબંધના છ પરિમાણો

આપણે વિદ્યાર્થી અને શિક્ષક બંનેના સંબંધનું વિશ્લેષણ છ પરિબળો અથવા પરિમાણોના સંદર્ભમાં કરી શકીએ છીએ. જો સંબંધમાં કોઈ સમસ્યા હોય, તો આ તે ક્યાં છે તે ઓળખવામાં મદદ કરી શકે છે જેથી દરેક પક્ષ સ્વસ્થ સંતુલન લાવવા માટે સમાયોજિત અને અનુકૂલન કરવાનો પ્રયાસ કરી શકે.

તે છ પરિબળો છે:

  1. દરેક પક્ષ અને સંબંધની સ્થાપના સંબંધિત હકીકતો
  2. દરેક પક્ષ માટે સંબંધનો ઉદ્દેશ્ય અને તેને અસર કરતા મનોવૈજ્ઞાનિક પરિબળો
  3. દરેક પક્ષ તેને અથવા તેણીને અને બીજાને સંબંધમાં ભજવતી ભૂમિકા વ્યાખ્યાયિત કરે છે, અને આમ દરેક પક્ષની અપેક્ષાઓ અને દરેક વ્યક્તિ પોતાના વિશે શું અનુભવે છે
  4. દરેક પક્ષની સંબંધ પ્રત્યે પ્રતિબદ્ધતા અને સંડોવણીનું સ્તર, અને તેને અસર કરતા મનોવૈજ્ઞાનિક પરિબળો
  5. દરેક પક્ષના અન્ય મનોવૈજ્ઞાનિક પરિબળો
  6. સંબંધ કેવી રીતે કાર્ય કરે છે અને દરેક પક્ષ પર તેનો અસર શું છે.

દરેક પક્ષ અને સંબંધની સ્થાપના સંબંધિત હકીકતો

સંબંધને પ્રભાવિત કરતા દરેક પક્ષ વિશેના તથ્યોમાં શામેલ છે:

  • લિંગ અને ઉંમર
  • મૂળ સંસ્કૃતિ - એશિયન અથવા પશ્ચિમી
  • વ્યક્તિગત વાતચીત અને/અથવા ઉપદેશો માટે એક ભાષા અથવા અનુવાદકની જરૂરિયાત
  • મઠ અથવા સામાન્ય
  • ધર્મ અને દુન્યવી શિક્ષણનું પ્રમાણ
  • ભાવનાત્મક અને નૈતિક પરિપક્વતાના સંદર્ભમાં આધ્યાત્મિક શિક્ષક અથવા વિદ્યાર્થી બનવા માટેની લાયકાત
  • દરેક પાસે એકબીજા માટે સમય કેટલો ઉપલબ્ધ  છે
  • અન્ય વિદ્યાર્થીઓની સંખ્યા
  • શિક્ષક નિવાસી છે અથવા ફક્ત ક્યારેક ક્યારેક મુલાકાત લે છે.

પૃષ્ઠભૂમિ હોઈ શકે છે:

  • પશ્ચિમી ધર્મ કેન્દ્ર - શહેરનું કેન્દ્ર અથવા રહેણાંક કેન્દ્ર
  • જો ધર્મ કેન્દ્ર હોય તો, સ્વતંત્ર છે અથવા એક જે મોટા ધર્મ સંગઠનનો ભાગ છે
  • એક મઠ - એશિયામાં અથવા પશ્ચિમમાં.

દરેક પક્ષ માટે સંબંધનો ઉદ્દેશ્ય અને તેને અસર કરતા મનોવૈજ્ઞાનિક પરિબળો

કોઈપણ સંબંધમાં બંને પક્ષો માટે, સંબંધનો ઉદ્દેશ લગભગ હંમેશા મિશ્રિત હોય છે. વિદ્યાર્થી-શિક્ષકનો સંબંધ પણ તેનો અપવાદ નથી.

વિદ્યાર્થી આધ્યાત્મિક શિક્ષક પાસે આવી શકે છે:

  • માહિતી મેળવવા અને હકીકતો શીખવા
  • ધ્યાન કરવાનું શીખવા
  • પોતાના વ્યક્તિત્વ પર કામ કરવા
  • આ જીવનમાં વસ્તુઓ સુધારવા
  • ભવિષ્યના જીવન સુધારવા
  • અનિયંત્રિત રીતે પુનરાવર્તિત પુનર્જન્મ (સંસાર) થી મુક્તિ મેળવવા
  • બીજા બધાને સમાન મુક્તિ અને જ્ઞાન મેળવવામાં મદદ કરવા માટે જ્ઞાન મેળવવા
  • આરામ કરવાનું શીખવા
  • સમાન વિચારધારા ધરાવતા વિદ્યાર્થીઓ સાથે સામાજિક સંપર્કો બનાવવા
  • એક્ઝોટિકાનો ઉપયોગ કરવા
  • કોઈ શારીરિક અથવા ભાવનાત્મક સમસ્યા માટે ચમત્કારિક ઉપચાર શોધવા
  • "ધર્મ-જંકી" જેવા મનોરંજક પ્રભાવશાળી શિક્ષક પાસેથી "ધર્મ-સુધાર" મેળવવા.

વધુમાં, વિદ્યાર્થી શિક્ષક પાસે આ ગોતી શકે છે:

  • બૌદ્ધ માર્ગ પર માર્ગદર્શન અને પ્રેરણા
  • ઉપચાર
  • પાદરી માર્ગદર્શન
  • માતાપિતાનો અવેજી
  • મંજૂરી
  • જીવનમાં શું કરવું તે કહેવા માટે કોઈ.

આધ્યાત્મિક શિક્ષક, બદલામાં, આ કરવા માંગી શકે છે:

  • હકીકતો આપવી
  • મૌખિક પ્રસારણ આપવી અને ધર્મનું જતન કરવું
  • વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ પર કામ કરવું
  • વિદ્યાર્થીઓના ભાવિ જીવનને લાભદાયક બનાવવા માટે બીજ વાવા
  • વિદ્યાર્થીઓને વધુ સારા પુનર્જન્મ, મુક્તિ અને જ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદ કરવી
  • ધર્મ કેન્દ્ર અથવા કેન્દ્રોનું ધર્મ સામ્રાજ્ય બનાવું
  • પોતાના વંશમાં ધર્માંતર મેળવો
  • ભારતમાં મઠને ટેકો આપવા અથવા તિબેટમાં એક મઠનું પુનર્નિર્માણ કરવા માટે નાણાં એકત્ર કરવા
  • શરણાર્થી તરીકે સુરક્ષિત આધાર શોધવો
  • જીવનનિર્વાહ કરવો અથવા ધનવાન બનવું
  • અન્યને નિયંત્રિત કરીને શક્તિ મેળવી
  • જાતીય તરફેણ મેળવા.

બંને પક્ષોને અસર કરતા નકારાત્મક મનોવૈજ્ઞાનિક પરિબળોમાં શામેલ છે:

  • એકલતા
  • કંટાળો
  • વેદના
  • અસુરક્ષા
  • ટ્રેન્ડી બનવાની ઇચ્છા
  • જૂથનો દબાણ.

દરેક પક્ષ તેને અથવા તેણીને અને બીજાને સંબંધમાં ભજવતી ભૂમિકા વ્યાખ્યાયિત કરે છે, અને આમ દરેક પક્ષની અપેક્ષાઓ અને દરેક વ્યક્તિ પોતાના વિશે શું અનુભવે છે

આધ્યાત્મિક શિક્ષક પોતાને, અથવા વિદ્યાર્થી શિક્ષકને આ રીતે ગણી શકે છે:

  • બૌદ્ધ ધર્મનો પ્રાધ્યાપક, જે બૌદ્ધ ધર્મ વિશે માહિતી આપે છે
  • ધર્મને જીવનમાં કેવી રીતે લાગુ કરવો તે સૂચવતો ધર્મ પ્રશિક્ષક
  • ધ્યાન અથવા ધાર્મિક પ્રશિક્ષક
  • આધ્યાત્મિક માર્ગદર્શક, જે પ્રતિજ્ઞાઓ આપે
  • તાંત્રિક ગુરુ, જે તાંત્રિક સશક્તિકરણ આપે.

વિદ્યાર્થી પોતાને અથવા આધ્યાત્મિક શિક્ષક વિદ્યાર્થીને આ રીતે ગણી શકે છે:

  • બૌદ્ધ ધર્મનો વિદ્યાર્થી, જે માહિતી મેળવે છે
  • ધર્મનો વિદ્યાર્થી, જે જીવનમાં ધર્મને કેવી રીતે લાગુ કરવો તે શીખે છે
  • ધ્યાન અથવા ધાર્મિક તાલીમાર્થી
  • એક શિષ્ય જેણે શિક્ષક સાથે ફક્ત પ્રતિજ્ઞા લીધી છે
  • એક શિષ્ય જે શિક્ષક દ્વારા વ્યક્તિગત રીતે માર્ગદર્શન મેળવે છે.

આ પરિમાણનું બીજું પાસું એ છે કે સંબંધને કારણે દરેક વ્યક્તિ પોતાના વિશે કેવું અનુભવે છે.

વિદ્યાર્થી અનુભવી શકે છે કે તે અથવા તેણી નીચે મુજબ છે:

  • સુરક્ષિત
  • કોઈનો છે
  • સંપૂર્ણ
  • પરિપૂર્ણ
  • એક સેવક
  • સંપ્રદાયનો સભ્ય.

આધ્યાત્મિક શિક્ષકને એવું લાગશે કે તે અથવા તેણી નીચે મુજબ છે:

  • એક ગુરુ
  • એક નમ્ર સાધક
  • એક તારણહાર
  • એક પાદરી
  • એક મનોવિજ્ઞાની
  • ધર્મ કેન્દ્રોનો અથવા ધર્મ સામ્રાજ્યનો વહીવટકર્તા
  • મઠનો નાણાકીય સહાયક.

દરેક પક્ષની સંબંધ પ્રત્યે પ્રતિબદ્ધતા અને સંડોવણીનું સ્તર, અને તેને અસર કરતા મનોવૈજ્ઞાનિક પરિબળો

વિદ્યાર્થી કદાચ:

  • નિશ્ચિત ચુકવણી કરતો હોય, દાન આપતો હોય, અથવા શિક્ષકને કંઈપણ આપ્યા વિના અથવા અર્પણ કર્યા વિના અભ્યાસ કરતો હોય
  • બૌદ્ધ ધર્મ, શિક્ષક અને/અથવા વંશ સાથે આકસ્મિક રીતે સંકળાયેલો હોય અથવા ઊંડે પ્રતિબદ્ધ હોય
  • શિક્ષક સાથે પ્રતિજ્ઞા લેવાનો ઇરાદો હોય કે ન હોય
  • શિક્ષકને મદદ કરવાની જવાબદારી લેવી
  • ઋણી અનુભવતો હોય
  • ફરજ બજાવવાની લાગણી હોય
  • એવું લાગતું હોય કે તે વફાદાર રહે - આમાં જૂથ દબાણની ભૂમિકા મહત્વપૂર્ણ છે
  • એવું લાગતું હોય કે જો તે કંઈ ખોટું કરશે તો તે નરકમાં જશે.

આધ્યાત્મિક શિક્ષક કદાચ:

  • વિદ્યાર્થીઓને નૈતિક રીતે માર્ગદર્શન આપવાની જવાબદારી લે
  • વિદ્યાર્થીઓના જીવનને ચલાવવાની અને તેમને શું કરવું તે કહેવાની ઇચ્છા રાખતો હોય
  • તેમની ફરજ બજાવતો હોય, કારણ કે તેના પોતાના શિક્ષકોએ તેમને શીખવાડવા માટે મોકલ્યા હતા 
  • તેને ફક્ત એક કામ તરીકે જોવું.

આ પરિમાણને અસર કરતા નકારાત્મક મનોવૈજ્ઞાનિક પરિબળોમાં શામેલ છે:

  • પ્રતિબદ્ધતાનો ડર
  • સત્તાનો ડર, કદાચ દુરુપયોગની પૃષ્ઠભૂમિને કારણે
  • ઉપયોગી બનવાની અથવા પ્રેમ મેળવવાની જરૂરિયાત
  • અગત્ય થવાની જરૂરિયાત
  • બીજાઓને નિયંત્રિત કરવાની જરૂરિયાત
  • પોતાને સાબિત કરવાની જરૂરિયાત.

દરેક પક્ષના અન્ય મનોવૈજ્ઞાનિક પરિબળો

આમાં શામેલ છે કે પક્ષો શું છે:

  • બહિર્મુખી કે અંતર્મુખી
  • બૌદ્ધિક, ભાવનાત્મક કે ભક્તિમય
  • ગરમ કે ઠંડા
  • શાંત કે ખરાબ સ્વભાવનો
  • સમય અને ધ્યાન માટે લોભી
  • અન્ય વિદ્યાર્થીઓ કે અન્ય શિક્ષકોથી ઈર્ષ્યા
  • ઓછા આત્મસન્માન અથવા ઘમંડથી ભરપૂર

સંબંધ કેવી રીતે કાર્ય કરે છે અને દરેક પક્ષ પર તેનો અસર શું છે

શું વિદ્યાર્થી અને શિક્ષક સાથે મળીને બનાવે છે:

  • સારી કે ખરાબ ટીમ
  • એવી ટીમ જેમાં બંને એકબીજામાં રહેલી શ્રેષ્ઠ ક્ષમતાઓ બહાર લાવે છે અથવા જે એકબીજાની ક્ષમતાઓને અવરોધે છે
  • એવી ટીમ જે અલગ અલગ અપેક્ષાઓને કારણે એકબીજાનો સમય બગાડે છે
  • એવી ટીમ જેમાં એક વંશવેલો માળખું જાળવવામાં આવે છે અને જેમાં વિદ્યાર્થી શોષિત, નિયંત્રિત અને આમ હલકી ગુણવત્તાવાળા (ઓછા આત્મસન્માનને મજબૂત બનાવવું) અનુભવે છે, અને શિક્ષક પોતાને સત્તા અને શ્રેષ્ઠ માને છે - નોંધ કરો કે એક પક્ષ જે અનુભવે છે તે બીજા પક્ષ જે અનુભવે છે તેના અનુરૂપ ન પણ હોય
  • એવી ટીમ જેમાં એક અથવા બંને પ્રેરણા અથવા થાક અનુભવે છે.

સારાંશ

આપણે વિદ્યાર્થી-શિક્ષક સંબંધનું મૂલ્યાંકન બધા છ પરિમાણો અને તેમના દરેક ઘટક પરિબળોના સંદર્ભમાં કરવાની જરૂર છે. જો પરિબળો એકબીજા સાથે મેળ ખાતા નથી, તો બંને પક્ષોએ તેમને સુમેળ સાધવાનો અને સમાયોજિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ, અથવા અનુકૂલન કરવું જોઈએ. જો એક પક્ષ સાંસ્કૃતિક તફાવતો અથવા ભાવનાત્મક પરિબળોને કારણે સમસ્યાનું નિરાકરણ લાવવાના આ અભિગમ પ્રત્યે અસ્વીકાર્ય હોય, તો બીજી બાજુએ કાં તો પોતે ગોઠવણો કરવી પડશે અથવા સંબંધથી અંતર જાળવી રાખવું પડશે.

Top