લેમ-રિમ ક્રમાંકિત માર્ગની વિહંગાવલોકન

અમૂલ્ય માનવ જીવનનો શ્રેષ્ઠ ઉપયોગ

આપણે બધાએ અમૂલ્ય માનવ શરીર સાથે એક અમૂલ્ય માનવ પુનર્જન્મ મેળવ્યો છે, જે સૌથી વધુ શક્ય આધ્યાત્મિક પ્રગતિ માટે પરવાનગી આપે છે. આપણી પાસે હવે મનુષ્ય તરીકે જ્ઞાન પ્રાપ્ત કરવાની જે તક છે તેના થી વધુ સારી નહીં મળે – ભલે આપણે દેવોના રાજા ઇન્દ્ર તરીકે પુનર્જન્મ પામીએ તો પણ નહીં!

અત્યારે આપણી પાસે જે છે તેના કરતાં વધુ સારો કોઈ કાર્યકારી આધાર ન હોવાથી, તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટેની તમામ પ્રક્રિયાઓ આપણે જાણીએ તે અગત્યનું છે. આધ્યાત્મિક પ્રગતિ કરવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ એ છે કે આપણે આપણી અંદર વધુને વધુ, દયાળુ અને હુંફાળું હૃદય વિકસાવીએ. હૂંફાળા હૃદયના આધારે, આપણે પછી બોધિચિત્ત ધ્યેયના સમર્પિત હૃદયને વિકસાવવા આગળ વધીશું. આ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છા છે, બીજા શબ્દોમાં કહીએ તો, આપણી બધી ખામીઓને દૂર કરવાની અને આપણી સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવાની ઇચ્છા છે, જેથી દરેકને શક્ય તેટલું શ્રેષ્ઠ લાભ આપી શક્યે. જ્યારે આપણે આપણું હૃદય બીજાઓને અને જ્ઞાન પ્રાપ્તિ માટે સમર્પિત કરીએ છીએ, તો તે આપણા અમૂલ્ય માનવ પુનર્જન્મનો શ્રેષ્ઠ ઉપયોગ છે.

Top